જામનગરમાં પ્રધાનમંત્રીના આગમન માટે તૈયારીઓ, આવતીકાલે દ્વારકામાં 'સુદર્શન બ્રિજ'નું લોકાર્પણ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગર, દ્વારકા અને રાજકોટની મુલાકાતે આવશે. જામનગર, દ્વારકા અને રાજકોટમાં ઉત્સાહનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે અને તેમના આગમન સમયે ભવ્ય સ્વાગત અને રોડ શૉ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે દિગજામ સર્કલ થી સાત રસ્તા સુધી રોડની બંને તરફ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. બંને સ્થળેથી નગરજનો તેમને આવકારવા માટે અને પ્રધાનમંત્રી પર પુષ્પવૃષ્ટિ કરી શકાય તે માટેની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આજે રાત્રે 9:10 વાગ્યે જામનગર એરપોર્ટ પર આગમન કરશે અને રાત્રી રોકાણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેવભૂમિદ્વારકાના પ્રવાસે પહોંચશે, જ્યાં ઓખાથી બેટદ્વારકાને જોડતા 'સુદર્શન બ્રિજ'નું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીને આવકારવા પવિત્ર ગોમતી ઘાટ પર સતત ત્રીજા દિવસે શુક્રવારે રાત્રે અદભુત મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાંસદ પૂનમ માડમ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુળૂભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેકે આ મહાઆરતીનો લ્હાવો લીધો હતો.