ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો
Live TV
-
40થી વધુ લોકો થયા અક્સ્માતમાં ઇજાગ્રસ્ત
બગોદરા-બાવળા રોડ પર ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત અનુસાર એસટી બસ ગારિયાધારથી કૃષ્ણનગર તરફ જઈ રહી હતી. તે દરમિયાન ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ST બસ પલટી મારી જતાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું જ્યારે 40થી લોકોને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે બગોદરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાલ તો આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
