દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 27 મેએ આ ટ્રેનને લીલી ઝંડી આપશે.
રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ છે. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કરેલી રજૂઆતને સ્વીકારવામાં આવી છે. આગામી 27 મે થી રાજકોટ-મુંબઈ વચ્ચે દુરંતો ઍક્સ્પ્રેસનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 27 મેએ આ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન રાજકોટથી સાંજે 6.30 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.00 વાગે મુંબઈ પહોંચશે. મુંબઈથી રાત્રે 11 વાગે નીકળીને સવારે દસ પંચાવન મિનિટે રાજકોટ પહોંચશે. આ સમાચારથી સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશી વ્યાપી છે.
