ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત 1.20 લાખની સહાય : રાજય સરકાર
Live TV
-
સરકારે આવાસ યોજનામાં 70 ટકાનો સહાયનો કર્યો વધારો.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત બક્ષીપંચની 142 જાતિઓ, 40 વિચરતી અને વિમુક્ત જાતિઓ અને અંદાજે 58 બિનઅનામત સવર્ણ જાતિઓ તેમજ ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત 36 અનુસૂચિત જાતિઓને હાલ પોતાનું મકાન બનાવવા માટે રૂપિયા 70000ની સહાય મળે છે. આ સહાયમાં રૂપિયા 50000નો એટલે કે 70 ટકા ઉપરાંતનો માતબર વધારો કરાયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાણાંમંત્રી નિતીનભાઇ પટેલને પ્રધાનમંત્રી આવાસા યોજનાના રૂપિયા 1,20,000 સાથે સુસંગતતા પ્રસ્થાપિત કરવાની રજૂઆત કરતાં ગુજરાત રાજય હેઠળની આવાસ યોજનામાં પણ અનુસૂચિત જાતિઓ, બક્ષીપંચની જાતિઓ, વિચરતી-વિમુક્ત જાતિઓ અને બિન અનામત આર્થિક પછાત જાતિઓને હવેથી મકાનદીઠ રૂપિયા 1,20,000ની સહાય અપાશે.