નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચથી થશે શરૂ
Live TV
-
અમરકંટકથી નીકળતી નર્મદા રામપુરા પાસે ઉત્તરવાહીની થઈને વહે છે. અને જે સ્થળેથી પરિક્રમાની શરૂઆત થાય છે ત્યાં રામપુરા ખાતે જ પૂર્ણ થાય છે
નર્મદા જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પરિક્રમા એક મહિના સુધી ચાલશે. અમરકંટકથી નીકળતી લોકમાતા નર્મદા રામપુરા પાસે ઉત્તરવાહીની થઈને વહે છે. અને જે સ્થળેથી પરિક્રમાની શરૂઆત થાય છે ત્યાં રામપુરા ખાતે જ પૂર્ણ થાય છે. 14 કિલોમીટરની પરિક્રમા માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પરિક્રમાવાસીઓને કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તે માટે ની તમામ તૈયારી માટે તંત્ર દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી છે. જે લોકો નર્મદાની સંપૂર્ણ પરિક્રમા નથી કરી શકતા તેઓ આ 14 કિલોમીટર ની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે.