નવરાત્રિના આઠમા નોરતે કરાય છે દેવી મહાગૌરીની આરાધના
Live TV
-
નવરાત્રિના આઠમા નોરતે કરાય છે દેવી મહાગૌરીની આરાધના,
નવરાત્રિનો તહેવારની ધામધૂમથી દેશભરમાં ઉજવણી થી રહી છે. ચાલું વર્ષ 2023માં શારદીય નવરાત્રિનું સમાપન 23 ઓક્ટોબરે થશે અને 24 ઓક્ટોબરે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રિનો આજે આઠમો દિવસ છે. નવરાત્રિના આઠમા નોરતે મા દુર્ગાના આઠમાં સ્વરૂપ મહાગૌરીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિની આઠમી તિથિને મહાઆઠમ અથવા દુર્ગાષ્ઠમી પણ કહેવામાં આવે છે. આ દિવસે કન્યા પૂજનનું મહત્વ રહેલું છે. સાથે જ મહાઆઠમને લઈને દેવી શક્તિના મંદિરોમાં માઈભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.
