નવી શિક્ષણ નીતિથી રાજયના શિક્ષણ ક્ષેત્રમાં વેગ મળશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Live TV
-
શિક્ષણના સર્વગ્રાહી સુધારાનો નિર્દેશ કરતી કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ-૨૦૨૦ને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકારી છે.
શિક્ષણના સર્વગ્રાહી સુધારાનો નિર્દેશ કરતી કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ-૨૦૨૦ને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકારી છે. આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત-શ્રેષ્ડ ભારતના નિર્માણમાં આ નવી શિક્ષણ નીતિ અનેરૂં યોગદાન આપશે અને મહત્વનો આયામ સિદ્ધ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નવી શિક્ષણ નીતિના પરિણામે રાજ્યના શિક્ષણ ક્ષેત્રને પણ વેગ મળશે અને વિદ્યાર્થીઓને પણ વધુ સારૂં શિક્ષણ પુરુ પાડવામાં ઉપયોગી નિવડશે.
