નાયબ મુખ્યમંત્રીએ બ્રહ્મલીન પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે યોગી ડીવાઈન સોસાયટી હરિધામ - સોખડાના પરમાધ્યક્ષ, બ્રહ્મલીન પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કરીને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે સ્વામીશ્રીના આશિષ અને અલૌકિક સ્મૃતિઓ ચિરસ્થાયી બની રહે એવી પરમાત્માના શ્રીચરણોમાં પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્વામીજીએ લાખો હરિભક્તોને પ્રેરણા આપી, લાખો યુવાનોના જીવનનું ઘડતર કર્યું, તેમને ઉચ્ચ શિક્ષણ, વ્યસન મુક્ત જીવન,સમાજ અને રાષ્ટ્રની,ધર્મની સેવા માટે પ્રેરિત કર્યા હતા.
