Skip to main content
Settings Settings for Dark

પર્યાવરણ અને આબોહવા સાતત્યતા કાર્યજૂથની બીજી બેઠક ગાંધીનગરમાં 27 થી 29 માર્ચ દરમિયાન યોજાશે

Live TV

X
  • પર્યાવરણ અને આબોહવા સાતત્યતા કાર્યજૂથની બીજી બેઠક ગાંધીનગરમાં 27 થી 29 માર્ચ દરમિયાન યોજાશે. ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતાં નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે, આ ત્રિદિવસીય બેઠકનું વિધિવત ઉદઘાટન 28મી માર્ચે ભારતના જી-20 શેરપા અમિતાભ કાંત કરશે. વિશ્વના 30 થી વધુ દેશોના તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લેશે અને આબોહવા અને પર્યાવરણને લગતા પડકારો, ભૂજળ વ્યવસ્થાપન, જળજીવન મિશન સહિતના વિવિધ પાસાઓ પર વિચાર વિમર્શ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. 

    29 મી માર્ચે જી 20 દેશોના પ્રતિનિધિઓ પુનિત વનની મુલાકાત લેશે અને યોગ સત્રમાં ભાગ લેશે. આ પરિષદના ભાગરૂપે વિવિધ સત્ર પણ યોજાશે, જેમાં પર્યાવરણ નિષ્ણાતો ભાગ લેશે. ઉલ્લેખનીય છે, ભારતની જી-20 અધ્યક્ષતાના ભાગરૂપે રાજયમાં યોજાનારી આ ચોથી બેઠક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
apply