રાજ્યમાં આગામી સમયમાં 8 હજારથી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરાશે- ગૃહ રાજ્યમંત્રી
Live TV
-
રાજ્યમાં આગામી સમયમાં 8 હજારથી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરાશે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કાયદો વ્યવસ્થાના સુવ્યવસ્થિત પાલન થકી સુરક્ષા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ડ્રગ્સને પકડવા માટે પોલીસ કર્મીઓના મનોબળને વધારવા માટે ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવનાર એકમાત્ર રાજ્ય ગુજરાત છે. પોલીસની નિષ્ઠા અને નૈતિકતાના પરિણામે આજે રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટયો છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સને દરિયામાંથી ભારતમાં ઘુસતું અટકાવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પેડલરો દ્વારા જે અનઅધિકૃત બાંધકામ હતા તે તમામનો સફાયો કરીને ,દરિયાઈ સુરક્ષા વધુ સુદ્રઢ કરી છે. હિંસાત્મક ગુનાઓના ક્રાઇમ રેટમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ 11.90 છે ગૃહ વિભાગે વ્યાજખોરો સામે કડક પગલાં લીધા છે. 2 હજાર 389 લોકદરબાર યોજ્યા છે, જેનો એક લાખ 30 હજાર લોકોએ લાભ લીધો છે. જુદી જુદી બેંકોની મદદથી રાજયના ૩૮ પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં માત્ર સો દિવસમાં 19 ગુનામાં ચુકાદો લાવી 6 ગુનેગારોને ફાંસી 10 ગુનેગારોને આજીવન કેદ આપી ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. ગૃહ રાજયમંત્રીએ વિધાનસભા ખાતે, સાયબર ક્રાઇમ અંગે હેલ્પ લાઇન, મહિલાઓની સલામતી, સ્વયંસિદ્ધા પ્રોજેકટ, ડ્રોન પોલીસી સહિતરાજયમાં પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરી અંગેની વિગતો રજૂ કરી હતી.