પાટણમાં ડમી પરીક્ષાર્થી કાંડ : 3 આરોપી દોષીત જાહેર, છ માસની કેદની સજા
Live TV
-
પાટણમાં ડમી પરીક્ષાર્થી કાંડ : 3 આરોપીઓને સજા
પાટણની જયુડિશિયલ કોર્ટએ 2018માં પાટણના લોર્ડ કૃષ્ણા સાયન્સ સ્કૂલનાં પરીક્ષા સેન્ટરમાં ડમી પરીક્ષાર્થી કાંડમાં ચારમાંથી ત્રણ આરોપીઓને સજા ફટકારી છે. ગુનો IPC 419/11 હેઠળ સાદી કેદ અને દંડ સાથે અને IPC 417/114 હેઠળ છ માસની સાદી કેદ અને દંડની સજા આપવામાં આવી છે.
આ કેસમાં ગોવિંદભાઈ ઠાકોર, આસીફખાન મલેક અને ભરત મેઘરાજ ચૌધરીનાં નામો સામેલ છે. જ્યારે ભરત મેઘરાજ કોર્ટમાં હાજર ન હતા, તે માટે તેમની સામે સજા વોરંટ ઇસ્યુ કરવાનો આદેશ આપવામાં આવ્યો. કોર્ટે જણાવ્યું કે આ ગુનામાં આરોપીઓ શાળામાં છેતરપંડી કરવા માટે મુળ વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યા હતા, જેના કારણે શાળાની આબરૂ પર અસર થઈ છે.
સરકારી વકીલના કહેવા મુજબ આરોપીઓએ ખોટી રીતે પરીક્ષા આપી હતી અને આને કારણે અન્ય વિદ્યાર્થીઓ અને પરીક્ષા બોર્ડને નુકસાન થયું છે. આ બદલામાં આ આરોપીઓને દાખલો બેસે તેવી સજા આપવામાં આવી છે.પાટણમાં 2021માં ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં, મુળ વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપતા વિષ્ણુભાઈ ઠાકોર અને અંકેશ વિનોદભાઈ પરમારને પણ એક વર્ષની સજા ફટકારી હતી. આ બનાવમાં પાટીદાર હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં આ આરોપીઓને પકડાયું હતું.કેસની વિગત એ છે કે વિષ્ણુભાઈ અને તેના મિત્ર અંકેશે પેપરો આપ્યા હતા, અને તેમને આ કેસમાં ત્રિજી જ્યુ.ફ.ક. મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સજા આપવામાં આવી