પાટણ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર ઇચ્છુક યુવાનો માટે ઈ-રોજગાર ભરતીમેળો યોજાશે
Live TV
-
ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના ટેલિફોનિક કે વિડિયો કૉલના માધ્યમથી ઈન્ટરવ્યુ લેવામાં આવશે
જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતા દ્વારા ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં ધોરણ-૧૦ કે આઈ.ટી.આઈ. પાસથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો આ ઈ-રોજગાર ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ઈ-રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ દ્વારા ૧૮ થી ૩૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારોના ટેલિફોનિક કે વિડિયો કૉલના માધ્યમથી ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
આ ઈ-રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છુક રોજગારવાંચ્છુ ઉમેદવારોએ https://page.pe/fZXx6xM લીંક પર ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના સર્વે રોજગારવાંચ્છુઓને તા.૧૩/૦૬/૨૦૨૦ પહેલા ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવવામાં આવ્યું છે
