પાલિતાણાઃ સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરી
Live TV
-
પાલીતાણા તાલુકાના હણોલ ગામે સામુહિક વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. મંત્રીના હસ્તે વૃક્ષારોપણકરીને ગામને નંદનવન બનાવવા લોકોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ગામ લોકો દ્વારા એક દિવસમાં 2100 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. ગામ લોકોને ઘર આંગણે વૃક્ષો રોપવા મંત્રીશ્રીના હસ્તે છોડનું વિતરણ પણ કરાયું હતું. મંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હવે પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય પાકી ગયો છે.
