પ્રધાનમંત્રીએ ગુજરાતના સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું અને નવનિર્મિત ડાયમંડ બુર્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું અને નવનિર્મિત ડાયમંડ બુર્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ઓફિસ કેન્દ્ર છે જે હીરા અને જ્વેલરી માટે આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર બનશે. અહીંથી કટ અને અનકટ બંને હીરા અને જ્વેલરીનો વેપાર કરી શકાય છે. આ બુલિયન માર્કેટ ડાયમંડ અને જ્વેલરીના વેપાર માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. આ અગાઉ પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ટર્મિનલ ભવન દરરોજ 1200 સ્થાનિક મુસાફરો અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરો એટલે કે દર વર્ષે 55 લાખ મુસાફરો મુસાફરી કરી શકશે. આ ભવનમાં સુરતના રાંદેર પ્રદેશના પરંપરાગત લાકડાનું કામ છે અને તેમાં ડબલ ઇન્સ્યુલેટેડ છત, વરસાદી પાણીનો સંગ્રહ અને સોલાર પાવર પ્લાન્ટ પણ છે
