પ્રધાનમંત્રીએ લીલી ઝંડી ફરકાવી સેકટર 10થી મહાત્મા મંદિર સુધીની મેટ્રોને પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ અંતર્ગત સાંજે ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મેટ્રો રેલના બીજા ચરણનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે લીલી ઝંડી ફરકાવીને સેકટર 10થી મહાત્મા મંદિર સુધીની મેટ્રોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉપસ્થિત મેદનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ પણ ઉષ્માભેર સૌનું અભિવાદન ઝીલ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ મેટ્રો સુવિધાથી લોકોના સમય અને નાણાની બચત થશે.
