પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ અંબાજી મંદિરમાં દર્શન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ અંબાજી મંદિરમાં દર્શન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ અંબાજીની મુલાકાતે છે. તેની તૈયારીમાં પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજીનાં ચીખલા ખાતે હેલીપેડ બનાવવામાં આવ્યું છે. તેમજ બોમ્બ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી સવારે અંબાજીના દર્શન કરી આગળના કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે અંબાજી ખાતે તૈયારીઓનું નિરીક્ષણ કરવા આવી શકે છે.
