ફરિયાદની સુનાવણી દરમિયાન ઇલેકટ્રોનિક્સ ઉપકરણોના ઉપયોગની કેટલીક શરતોને આધીન મંજૂરી અપાઇ
Live TV
-
ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજદારો પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવી વ્યવસ્થાપન સંબંધિત વહીવટીતંત્રને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે તેમ ગુજરાત માહિતી આયોગની યાદીમાં જણાવાયું છે. ગુજરાત માહિતી આયોગમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ બીજી અપીલ/ફરિયાદની સુનાવણી દરમિયાન ઇલેકટ્રોનિક્સ ઉપકરણોના ઉપયોગની કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે તથા સુનાવણી નિયત સુનાવણી ખંડમાં કરવાનો પણ નિર્ણય કરાયો છે.
આર.ટી.આઇ. એક્ટ હેઠળ બીજી અપીલ કરતા અરજદારોને રજૂઆત માટે શબ્દોની મર્યાદા ન નડે તે હેતુ નિયત ફોર્મમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ તમામ સુધારાઓ સંબંધિત જરૂરી વહીવટી હુકમો આયોગની વેબસાઇટ પર પણ મૂકવામાં આવ્યા છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.