બનાસકાંઠાઃ દિયોદર ખાતેના કાર્યક્રમમાં PM મોદીને બનાસ ડેરી તરફથી માતાજીની મુર્તિ ભેટ અપાશે
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19 એપ્રીલે બનાસકાંઠા જીલ્લાનાં દિયોદરમાં સણાદર ખાતે રૂપીયા 600 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિશાળ બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ કરશે. જેને લઇ સમગ્ર બનાસકાંઠા જીલ્લો, વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તેમજ બનાસકાંઠા જીલ્લા બનાસડેરી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે બનાસ ડેરીનાં સંકુલ લોકાર્પણ દરમીયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બનાસ ડેરી તરફથી માતાજીની પંચધાતુ વાળી પ્રતિમા ભેટ સ્વરૂપે અર્પણ કરાશે. પ્રતિમાની અંબાજી નીજ મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા અભીષેક સાથે પુજા-વીધી કરવામાં આવી હતી.
