બનાસકાંઠા: અંબાજી મંદિર હવે 3 સપ્ટેમ્બરથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે
Live TV
-
ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો બંધ રાખીને મંદિરને પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા અંબાજી મંદિર બાબતે જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિર 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બંધ રહેવાનું હતું. જો કે તેને બદલે હવે મંદિર 2 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. 3 તારીખથી અંબાજી મંદિર , શ્રધ્ધાળુઓ માટે રાબેતા મુજબ ખોલવામાં આવશે.
મહત્વનું છે કે શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને , જિલ્લા કલેક્ટરે જાહેરનામામાં ફેરફાર કર્યો છે. અંબાજી મંદિર દ્વારા આજથી , ચાચર ચોકમાં , સહસ્ત્ર ચંડી યજ્ઞ શરૂ થશે. જેનું જીવંત પ્રસારણ અંબાજી મંદિરની વેબસાઈટ તેમજ યુ ટ્યુબ સહિતના સોશિયલ મીડીયા પર નિહાળી શકાશે.
