મહિસાગરઃ વરસાદ વિરામ લેતા કડાણા ડેમના દરવાજા બંધ કરાયા
Live TV
-
મહીસાગર જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં તેમ જ વરસાદે વિરામ લેતાં કડાણા ડેમમાં જળ સંગ્રહ માટે ડેમના ગેટ બંધ કરવામાં આવેલા છે.
બંધના ઉપરવાસમાંથી 29 હજાર 125 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જોકે બંધના ચાર પાવર હાઉસ કાર્યરત થતાં તે પાવર હાઉસ મારફતે 20 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉફરાંત 700 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. તેથી કુલ પાણીની જાવક 20 હજાર 700 ક્યુસેક છે.
60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત થતાં 240 મેગાવોટનું વીજઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં બંધનું જળ સ્તર 417.7 ફૂટ છે. જે 1 સપ્ટેમ્બરના રુલ લેવલ 416 ફૂટની તુલનામાં 1 ફૂટ 7 ઇંચ વધારે છે.
