ભગવાન દ્વારકાધીશ સમક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજા-અર્ચના કરી શીશ ઝુકાવ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા આજે જગત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ભક્તિ ભાવ પૂર્વક શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત વિધિપૂર્વક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પાદુકાપૂજન કરાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી અને શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શારદાપીઠમાં પ્રધાનમંત્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીએ મંદિરમાં દર્શનાર્થીઓ- શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યુ હતું. તેમજ પ્રધાનમંત્રીને મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજ કુમાર, જિલ્લા પંચાયતના નથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, લૂણાભા સુમણીયા, જે.કે. હાથિયા, વનરાજભા માણેક, સંજયભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, રાજુભાઈ સરસીયા, કરશનભાઈ જોડ, ધીરુભાઈ, મેઘજીભાઈ પિપરોતર સહિતનાએ આવકાર્યા હતા.