ભરૂચ GNFCના કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે ગણિત વિષયક સંમેલન યોજાયું
Live TV
-
ભરુચ જીએનએફસી નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે ગણિત સંમેલન યોજાયું. ભરુચની 35 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંમેલનમાં આઇઆઇટી કોલેજ અમદાવાદના પ્રોફેસર ડોક્ટર એન. રવિચંદ્રને હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સંમેલનમાં સંખ્યાબંધ મુલાકાતીઓ વચ્ચે ભરૂચ જિલ્લાની 35 શાળાઓના આશરે 900 થી 1000 વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ડૉ.એન. રવિચંદ્રન કે જેઓએ IIT-મદ્રાસમાંથી પીએચડી કર્યું છે. અને હાલ IIT-અમદાવાદમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. તથા જી.એન.એફ.સીના સ્વતંત્ર ડિરેક્ટર છે, તેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ભરૂચ જીલ્લાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.