ભાવનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાલિતાણા ખાતે 'શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દી મહોત્સવ'ના સમાપન સમારોહમાં હાજરી આપી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે ભાવનગર જિલ્લાનાં પાલિતાણા ખાતે 'શ્રી ખરતરગચ્છ સહસ્ત્રાબ્દી મહોત્સવ'નાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે તેમનાં વકતવ્યમાં કહ્યું હતું કે, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતો જ ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં ઉમેર્યું હતુ કે, 'ખરતગરચ્છ સહસ્ત્રાબ્દી' એટલે કે એક હજાર વર્ષની ઉજવણી આજે થઈ રહી છે. આજનાં ભૌતિકવાદભર્યા યુગમાં જો કોઈ ધર્મ કે સંપ્રદાયે તેનાં મૂળભૂત સિદ્ધાંતો જાળવી રાખ્યા હોય તો આ સિદ્ધાંતો ક્યારેય જૂનાં નહિ થાય અને સદૈવ પ્રસ્તુત રહેશે.
રાજ્યપાલે કહ્યું હતું કે, જૈન ધર્મનાં 24 તીર્થંકરોએ ભારતીય સમાજની ગરિમા અને ગૌરવ વધારી લોકોને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે, અને તેમનાં જીવન પ્રશસ્ત બનાવ્યા છે. મહાવીર સ્વામીએ આપેલા સિદ્ધાંતો અને દર્શને લોકોનાં જીવન સરળ બનાવવાનું કામ કર્યું છે. આ ઉપરાંત આપણાં દેશની કલા, સંસ્કૃતિ, વાસ્તુ અને સાહિત્યને સમયાંતરે નવજીવન આપવાનું કામ આપણાં આચાર્યોએ કર્યું છે.