મહુધામાં નવા ST બસસ્ટેન્ડનું મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું લોકાર્પણ
Live TV
-
બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને વિભાગીય નિયામક, નડિયાદના સંયુક્ત ઉપક્રમે મહુધા ખાતે આજે નવા એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
મહુધામાં આજે ગુજરાત સ્થાપના દિનના દિવસે રૂપિયા 2 કરોડના ખર્ચે બનાવાયેલું બસ સ્ટેશન લોકો માટે ખૂલ્લું મૂકાયું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, 'આજે મહુધા ખાતે રૂપિયા 200.09 લાખના ખર્ચે આર.સી.સી ફેમ સ્ટ્રક્ચરવાળું સુવિધાયુક્ત બસ સ્ટેશન બાંધવામાં આવ્યું છે, જેનો સીધો લાભ મહુધા તાલુકાની જનતાને થશે.'
