મુખ્યમંત્રીએ અંબાજી ખાતે 13 કરોડ રૂ. ના ખર્ચે બનેલા અત્યાધુનિક સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે હતા. મુખ્યમંત્રીએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગંટળી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વધુમાં, મુખ્યમંત્રીએ રૂપિયા 13 કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક સંસ્કૃત મહાવિદ્યાલયનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ દિવ્યાંગ લાભાર્થીઓ ને વિવિધ યોજનાના લાભોનું વિતરણ પણ કર્યુ હતું.
આ અગાઉ કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે ધ્વજા યાત્રા ને પ્રસ્થાન કરાવી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
