મુખ્યમંત્રીએ વિંછીયામાં સૌની યોજનાની લિન્ક-4 ના પેકેજ-9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે 337 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સૌની યોજનાની લિન્ક-4 ના પેકેજ-9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 214 દિવ્યાંગોને 28 લાખ 93 હજારની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ સરકારની ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે.
આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમ થકી રોજગાર લક્ષી શિક્ષણ આપવા માટે નવ કરોડનું નવું આઈટીઆઈનું ભવન બનાવાઇ રહ્યું છે. જ્યારે લિંક- 4 પેકેજ અને જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો, એ આ વિસ્તારની માતા બહેનોની જરૂરિયાત પૂરી કરશે.
