મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં ગણેશ પંડાલમાં શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં ગણેશ પંડાલમાં શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી, ગણેશ મહોત્સવમાં પૂજન કરી રાજ્યના વિકાસ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
ગણેશજીની પૂજા અર્ચના કરવા અમદાવાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ઘાટલોડિયાની મધુવૃંદ સોસાયટી અને પાટીદાર ચોક ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ ગણેશ દર્શન કર્યા હતા. સમગ્ર ગુજરાત ગણેશ ભકિતનાં રંગે રંગાયુ છે ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી પણ એમાથી બાકાત નથી. અમદાવાદનાં એ વિસ્તારો જ્યા મુખ્યમંત્રીએ જીવનનો બહુ લાંબો જીવનકાળ વ્યતીત કર્યો છે. ત્યાં પોતીકા લોકો વચ્ચે પહોંચી મુખ્યમંત્રીએ ગણેશજીનાં પંડાલમાં સમય પસાર કર્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મેમનગર અને ગુરુકુળના મહારાજા તરીકે ઓળખાતા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં દર્શનાર્થે આવી પહોંચ્યા હતા અને તેઓએ ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા-અર્ચન કર્યા હતા અને રાજ્યના વિકાસ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
