મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન'નું ઉદ્ઘાટન કર્યું હતું
Live TV
-
ગાંધીનગરના સેક્ટર 13 ખાતે એક નવતર પહેલ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જાતિનો ગુજરાતની યશ ગાથામાં મહત્વપૂર્ણ ફાળો છે. આપણે જ્યારે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સહકારથી સમૃદ્ધિને આગળ વધારી નાનામાં નાના માણસને પણ સફળ બનાવશું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યના સહકાર રાજ્યમંત્રી જગદીશવિશ્વકર્મા, પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય મહંત શંભુનાથજી ટૂંડિયા, ધારાસભ્ય રમણલાલ વોરા, સહિત અનુસૂચિત જાતિની ૧૫૦ જેટલી સહકારી મંડળીઓના હોદ્દેદારો - સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
