રાજકોટઃ ગણતંત્ર દિવસ પર સંસ્કારધામ પાઈપર્સ બેન્ડ દ્વારા અદ્દભૂત પ્રદર્શન
Live TV
-
આ બેન્ડે પોતાના પ્રદર્શન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા.
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 71મા ગણતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી ઝીલી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેબિનેટ મંત્રીઓ પણ ,આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વાયુસેનાના હેલિકોપ્ટર્સે ત્યાર બાદ પુષ્પવર્ષા કરી હતી.
IPS અધિકારી રમેશકુમારે પરેડનું નેતૃત્વ કર્યું હતું. રાજ્યપાલે ત્યાર બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે રહ્યા હતા. રાજકોટના નગરવાસીઓએ પણ મોટી સંખ્યામાં ગણતંત્ર પરેડમાં ભાગ લીધો હતો.
રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સંસ્કારધામ પાઈપર્સ બેન્ડ દ્વારા 7 મિનિટનું અદ્ભૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન માટે બેન્ડ દ્વારા છેલ્લા 1 વર્ષથી પ્રેકટિસ કરવામાં આવી રહી હતી.
