રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ, 4 અધિકારીઓની થઈ ધરપકડ
Live TV
-
રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 7 સામે ફરિયાદ નોંધી હતી જેમાંથી એક ભાગીદારનું ઘટનામાં મોત થયું છે. પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને એક ફરાર છે. આ ગુનામાં જે વધુ 4 અધિકારીઓને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર, 2 આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર વિભાગના અધિકારીનો સમાવેશ થાય છે.
