રાજકોટ:ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સરપંચ સંવાદ કાર્યક્રમ
Live TV
-
રાજકોટના પ્રવાસે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સરપંચ સંવાદ કાર્યક્રમ તથા પેજ સમિતિ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં સી.આર.પાટિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેના વક્તવ્યમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના હાથમાં પેઇજ કમિટી એ અણુબોમ્બ સમાન છે.તેમની એ વાત એકદમ સાચી છે અને તેના આધારે જ આગામી ચૂંટણીમાં અમે જીત હાંસેલ કરીશું અને એ અણુબોમ્બ ફાટશે અને જીત નિશ્ચિત કરશે.
