રાજકોટમાં પોલીસનું મેગા ડિમોલિશન, 38 આરોપીના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર
Live TV
-
6 કરોડ 52 લાખ 50 હજારની કિંમતની જગ્યા કરાશે ખાલી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સરકારી જમીનો પર દબાણ નહીં ચલાવી લેવાય.
અમદાવાદ બાદ હવે રાજકોટ પોલીસે મેગા ડીમોલેશન શરુ કર્યું છે. જેમાં 38 આરોપીઓના ગેરકાયદે બાંધકામના ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે... જેમાં મર્ડર, ચોરી, લૂંટ, ચિલ ઝડપ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની અને કુલ 2 હજાર 610 ક્ષેત્રફળ ચોરસમીટર જગ્યાનું ડીમોલેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, કામગીરી હેઠળ 6 કરોડ 52 લાખ 50 હજારની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવશે. તો આ મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
મેગા ડીમોલેશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું ?
મેગા ડીમોલેશન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે કે રાજ્યમાં જો કોઈ વ્યક્તિ કોઈપણ ગુન્હો કરે છે, નિર્દોષ લોકોને પરેશાન કરે છે, સરકારી જમીનો પર કબજો કરે છે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા ગુન્હાઓ કરનાર લોકોને છોડવામાં આવશે નહીં. રાજકોટમાં પણ 38 આરોપીઓના ગેરકાયદે બાંધકામને તોડી પડવામાં આવશે. રાજ્યમાં શાંતિથી, મહેનતથી અને ઈમાનદારીથી કામ કરનારા તમામ લોકો સાથે સરકાર હંમેશા ઊભી છે.