રાજકોટમાં "સ્વસ્થ નારી સ્વસ્થ સમાજ" અંતર્ગત યોજાયો સેમિનાર
Live TV
-
મહિલા મોરચા પ્રભારી અંજલિબેન વિજયભાઈ રૂપાણી, મંત્રી વિભાવરીબેન દવેએ મહિલાઓને પ્રભાવી માર્ગદર્શન આપ્યુ
સ્વસ્થ નારી સ્વસ્થ સમાજ અંતર્ગત સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા માટે રાજકોટ મહિલા મોરચા દ્વારા એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન વિજયભાઈ રૂપાણી , મહિલા અને બાલકલ્યાણ વિભાગના મંત્રી વિભાવરીબેન દવે, ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, મેયર બીનાબેન આચાર્ય સહિતના મહિલા આગેવાનોએ ઉપસ્થિત રહી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે તેમજ સેનેટરી પેડ વિશે પણ જાગૃતિ લાવવા મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રી વિભાવરીબેન દવે એ જણાવ્યું હતું કે જો સમાજમાં સ્ત્રી સ્વસ્થ બનશે તો તેનો પરિવાર અને સમાજ સ્વસ્થ બનશે માટે મહિલાઓને પોતાના આરોગ્યની ખાસ કાળજી લેવી જોઈશે.

