રાજ્યભરમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી
Live TV
-
અમદાવાદમાં સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં ગુરૂપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂ પૂર્ણિમાનુ પાવન પર્વ. ગુરૂ આપણને જ્ઞાન આપે છે અને આજના દિવસે ગુરૂજનો પ્રત્યે આદરભાવ, સન્માન વ્યક્ત કરવાનો અનેરો અવસર છે. અમદાવાદમાં સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં ગુરૂપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂ વંદના અને પૂજનના કાર્યક્રમમાં વહેલી સવારથી જ ભક્તજનો દર્શનાર્થે પધારી મહા આરતીમાં જોડાયા હતા. વિશ્વંભર ભારતી સંતગણના આશિર્વાદ મેળવ્યા હતા. સનાતન હિન્દુ ધર્મમાં ગુરૂનું સ્થાન આધ્યાત્મિક જીવનમાં સર્વોચ્ચ છે. ગુરૂના સાનિધ્યમાં શિક્ષણની સાથે આજના યુવાનો સાત્વિક શ્રધ્ધા દ્વારા ભારતનાં સાચો ઘડવૈયા બને તે ખૂબ જરૂરી હોવાનું ભારતી બાપુએ જણાવ્યું હતું.
