રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને આજથી સિંચાઇ માટે વધુ 2 કલાક મળશે વીજળી
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કિસાન હિતકારી વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા.૭મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે. તેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યના ખેડૂતોને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે.
