રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર, માઇનર બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
Live TV
-
માઇનર સ્ટ્રોક આવવાને કારણે તબિયત સ્થિર છે. ડોકટર્સના જણાવ્યા મુજબ હાલ તેમનું બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે.
રાજ્યના કૃષિ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ડૉક્ટર્સના સંપર્કમાં છે. ત્યારે હાલ માઇનર સ્ટ્રોક આવવાને કારણે તબિયત સ્થિર છે. ડોકટર્સના જણાવ્યા મુજબ હાલ તેમનું બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હાલ તેમની તબિયત સ્થિર છે.કેબિનેટ મંત્રી મુળુ બેરા સહિતના ભાજપ આગેવાનો સતત હોસ્પિટલ ખાતે ખડેપગે છે. રાઘવજી પટેલ જલ્દીથી સાજા થાય એ માટે ડોકટર્સ સતત પ્રયત્ન કરી રહ્યા છે. બળવંતસિંહ રાજપુત અને હર્ષ સંધવીએ પણ રાધવજીભાઇ વહેલાસર સાજા થાય તેવી લાગણી વ્યક્ત કરી છે.
