રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને રાજસ્થાનની ત્રણ દિવસની મુલાકાતે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને રાજસ્થાનની ત્રણ દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ આજે ટંકારા, ગુજરાત ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ - જ્ઞાન જ્યોતિ પર્વના સ્મારક સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બાદમાં સુરતમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20મા દીક્ષાંત સમારોહને સંબોધશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે વલસાડમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ધરમપુરમાં ગુજરાતના PVTG ના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરશે. 14 ફેબ્રુઆરીના રોજ માનનીય રાષ્ટ્રપતિ રાજસ્થાનના બેનેશ્વર ધામમાં વિવિધ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આદિવાસી મહિલાઓના મેળાવડાને સંબોધિત કરશે.
