રાજ્યના હાઇવે ઉપર આવેલા પેટ્રોલ પંપ ચોવીસ કલાક કાર્યરત રહેશે : અશ્વિનીકુમાર
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા , મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું , કે હવે રાજ્યના હાઇવે ઉપર આવેલા પેટ્રોલ પંપ ચોવીસ કલાક કાર્યરત રહેશે. તેમણે શ્રમિકોને વતન પરત મોકલવાની પ્રક્રિયા અંગેની માહિતી આપતા કહ્યું , કે દેશમાં વિવિધ રાજયોમાંથી , 30 લાખ કરતાં વધુ પરપ્રાંતિયોને , પરત મોકલાયાં છે , જેમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. 699 ટ્રેન દ્વારા, 10 લાખ પંદર હજાર શ્રમિકોને , પરત મોકલાયાં છે. આજે વધુ 55 ટ્રેન મોકલવામાં આવશે. તેમણે કહ્યું , કે જનજીવન સામાન્ય બનાવવા માટે , રાજ્ય સરકાર , કમર કસી રહી છે. લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને , નવી જીવનશૈલી અપનાવા , અશ્વિનીકુમારે લોકોને અપીલ કરી હતી.
