રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢના પ્રવાસે,ઉપરકોટ કિલ્લાની લીધી મુલાકાત
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢના પ્રવાસે છે ત્યારે આજે તેમણે પરિવાર સાથે ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમજ ઉપરકોટમાં ચાલી રહેલી રિસ્ટોરેશનની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. પ્રાચીન ધરોહરની સાચવણી કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બપોરે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુલાકાત લઇ શૈક્ષણિક કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે ત્યાર બાદ ભરત મેંશિયા લિખિત જૂનાગઢ જિલ્લા કેળવણીના ઇતિહાસ પુસ્તકનું વિમોચન કરશે. તેમજ પર્યાવરણ અને પ્રકૃતિ તેમજ સરકારને સહયોગી થવા બદલ વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત પણ કરશે.
