મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ નવથી ધોરણ અગિયારમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ
Live TV
-
કોરોના મહામારી ચાલી રહી છે પણ રસીકરણની પ્રકિયા સફળ રીતે થઇ રહી હોવાને કારણે લાંબા સમય થી જે શિક્ષણ ઓનલાઈન લેવામાં આવતું હતું તેને હવે ફરી શાળાઓમાં લેવા માટે શાળા કોરોના ગાઇડલાઇન સાથે મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ નવથી ધોરણ અગિયારમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થતા શાળાઓ ચેતનવંતી બની છે. જોકે શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કોરોના ગાઇડ લાઇનનું કડક પાલન કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ પણ લાંબા સમય બાદ શાળાએ આવતા હોવાથી ઉત્સાહનો અનુભવ કરી રહ્યા છે. આ અંગે મોરબીની શાળાના આચાર્ય સંજય વિરડિયાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં બંધ રહેલી શાળાઓ બાળકોના આગમનથી જીવંત લાગી રહી છે. જોકે વિદ્યાર્થીઓ કે શિક્ષકો કોરોનાના ચેપનો ભોગ ન બને તે માટે નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે.
