રાજ્યભરમાં હવે ખોરાક ખુલ્લો રાખીને નહીં વેચી શકાય
Live TV
-
રાજયભરમાં હવે રાંધેલો કે તૈયાર ખોરાક ખુલ્લો રાખીને વેચી શકાશે નહીં તેવી તાકીદ રાજ્ય સરકારે તમામ વેપારીઓને કરી છે. આ અંગે કોઇ ભૂલ થશે તો રૂ.૨ લાખ સુધીનો દંડપાત્ર ગુનો બનશે તેવો પણ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ખાદ્યચીજ વસ્તુઓનો વેપાર કરતાં તમામ ફુડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ કે હોટલ વિગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહીં. ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે.
