રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત
Live TV
-
રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો નાગરીકોને અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા તો મતદાનના દિવસે એટલે કે, સાતમી તારીખે અમદાવાદનું હવામાન 43 ડિગ્રી થાય તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
તો સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને અમદાવાદમાં સૌથી વધુ 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તો આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ બાદ રાજ્યના 4 જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, આગામી 6-7-8 મે દરમિયાન કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં ગરમીનો પ્રકોપ વધશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું હતું.