રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 340 કેસ, અમદાવાદમાં વધુ 261 કેસ નોંધાયા
Live TV
-
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં 340 કેસ નોંધાયા છે અને 20 દર્દીઓના સારવાર દરમિયાન મરણ થયા હતા. જ્યારે 282 દર્દીઓને રજા આપવામાં આવી છે. તો અમદાવાદમાં 261 કેસ નોંધાતા સ્થિતિ ચિંતાજનક રહી છે. રાજ્યમાં નોંધાયેલા કુલ મરણની વાત કરીએ તો મૃત્યુઆંક 606 થયો છે.
●રાજ્યમાં કુલ કેસ : 9932
● રાજ્યમાં કુલ મોત : 606
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 4035જિલ્લાવાર કેસની માહિતી :
અમદાવાદમાં 261
સુરત 32
વડોદરા 15
રાજકોટ 12
ગાંધીનગર 11
પાટણ,ગીર - સોમનાથ, ખેડા, જામનગર, અરવલ્લી,મહીસાગર, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ જયારે
સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા છે.
