ભાવનગર જીલ્લામાં મનરેગા યોજના હેઠળ કામ શરૂ કરાયા
Live TV
-
ભાવનગર જીલ્લામાં રાજ્યસરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ભાવનગર જીલ્લાની ૬૪૯ ગ્રામપંચાયત પૈકી ૧૫૩ ગ્રામપંચાયતો માં ૧૮૦ જગ્યાઓ પર કામો શરુ કરી દેવામાં આવ્યા છે.
મનરેગા યોજના હેઠળ હાલ ૫૧૦૦૦ કરતા વધુ લોકોને રોજગારી મળી રહી છે જયારે હજુ હજારો લોકો લોકડાઉનના કારણે અન્ય જીલ્લામાં આવીને કોરેન્ટટાઇન હોય જેની મુદત પૂર્ણ થતા તે લોકો માટે પણ આ યોજના હેઠળ કામોમાં સમાવેશ નું આયોજન કરી રહી છે.
