રામદેવપીરના મંડપ મહોત્સવમાં 50 ફૂટ ઊંચો મંડપ ધરાશાયી થતા એકનું મોત: 15 લોકો ઇજાગ્રસ્ત
Live TV
-
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મંગળવારની રાત્રીના જ મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા આજે બુધવારે સવારના સમયે મંડપ ખડો થવાનુ મર્હુત હતુ. મંડપ ખડો થયો તે સમયે કોઇ કારણોસર મંડપ નીચે પડકાતા એક વ્યકિતનું મોત થયુ હતું.
જયારે નાસભાગના કારણે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામા લોકો એકત્રીત થયા હતા તે, સમયે જ મંડપ ધરાશાઇ થયો હતો. જેના કારણે આ દુર્ઘટના સર્જાય હતી. ઇજાગ્રસ્ર્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ વિસ્તારના લોકો રામદેવપીર પ્રત્યે અખુટ શ્રધ્ધા ધરાવતા હોય અને સમાયંતરે ચોપાટી ખાતે મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની ઘટના ભાગ્યે જ બને છે આજે મંડપ ધરાશાઇ થવાની ઘટના બનતા પોલીસ તુરત જ લોકોને દુર કર્યા હતા આ ઘટનાને લઇ ભારે ચર્ચા જોવા મળી રહી છે.
પોરબંદરમાં મંડપ ધરાશાઇ થવાની ઘટનામાં પ્રૌઢનુ મોત
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડમા મંડપ ધરાશાઇ થવાની ઘટનામા વનરાજભાઇ નવઘણભાઇ ગોરાણીયા નામના પૌઢનુ માથાના ભાગે ઇજા થવાના કારણે મોત થયુ છે. વનરાજભાઇ ગોરાણીયા સરકારી હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડમાં ફરજ બજાવે છે આજે સવારે તેઓ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી મંડપના દર્શન કરવા માટે ગયા હતા તે દરમિયાન તેમને માથાના ભાગે ઇજા પહોંચતા તેમનુ મોત થયુ હતુ આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી.