Skip to main content
Settings Settings for Dark

સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 29 મેથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન થશે

    ખેડૂત સંમેલન અંતર્ગત બાગાયતી પાક અને કેળા તથા શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ - પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર - પાક સંગ્રહ ગોડાઉનના ઈ-લોકાર્પણ 

    બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગર કેનનું ઈ-ખાતમુહૂર્ત થશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરદાર સાહેબની 150મી જન્મ જયંતીનું આ વર્ષ દેશભરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરતા કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. 29મી મે થી 12 જૂન સુધી દેશના રાજ્યોમાં યોજીને ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો પણ માર્ગ ચીંધ્યો છે. 

    આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શિવરાજસિંહ ચૌહાણ એ 29 મે એ ઓરિસ્સાથી રાષ્ટ્રીય પ્રારંભ કરાવ્યો હતો તેનું સમાપન હવે કેન્દ્રીય કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં ગુરુવાર તા. 12મી જૂને સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ખેડૂત સંમેલન સાથે થવાનું છે. 

    પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ખેડૂત-આત્મનિર્ભર ખેતીના આપેલા ધ્યેયને સિદ્ધ કરીને કૃષિ ટેકનોલોજી ગામડે ગામડે પહોંચાડવા અને ખેડૂતોને માઇક્રો ન્યુટ્રીયન્ટના યોગ્ય ઉપયોગ સહિતની ટેકનોલોજી વિશે માહિતગાર કરવા યોજવામાં આવેલા આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના 31 જિલ્લાઓના 2,250 ગ્રામ્ય ક્લસ્ટર દ્વારા ચાર લાખથી વધુ ખેડૂતોને આવરી લેવાયા છે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદર જિલ્લામાં તૈયાર થયેલા બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદ તાલુકામાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે. 

    આ ઉપરાંત કુલ 25,000 મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા 14 ગોડાઉનના ઈ-લોકાર્પણ અને બારડોલીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સુગરકેનનું ઈ-ખાતમુર્હત પણ આ ખેડૂત સંમેલનમાં કરવામાં આવશે. 

    ગુરુવારે તા. 12મી જૂને સવારે 10:00 કલાકે બારડોલીના સાંકરી બી.એ.પી.એસ. મંદિર કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોજાનારા આ ખેડૂત સંમેલનમાં કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply