રેડ ઝોનમાં આવેલા બનાસકાંઠામાં આજે વધુ 8 દર્દીઓએ કરોનાને માત આપી સ્વસ્થ થયા
Live TV
-
રેડ ઝોનમાં આવેલા બનાસકાંઠામાં આજે વધુ 8 દર્દીઓએ કરોનાને માત આપી સ્વસ્થ થયા છે બનાસકાંઠા જિલ્લાના 14 માંથી 11 તાલુકા કોરોના ગ્રસ્ત થયા હતા જેમાં સુરતથી આવેલા 5 વર્ષિય બાળકને સૌપ્રથમ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું અને ત્યાર બાદ અત્યાર સુધી એટલે કે એક મહિનાની અંદર કુલ 85 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જે તમામને પાલનપુર કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 85 માંથી 15 બહારથી આવેલા જ્યારે 70 લોકલ સંક્રમણ ના કારણે કોરોના ગ્રસ્ત થયા હતા. જેમાં અત્યાર સુધી સારવાર દરમ્યાન 3 લોકોના મોત થયા છે જ્યારે આજે પાલનપુર હોસ્પિટલમાંથી 8 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી અને અત્યાર સુધી 49 દર્દીઓને હોસ્પિટલમાં થી સ્વસ્થ થઈ ઘરે ગયા છે
