લાંબી દરિયાઇ મુસાફરી કરીને કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ દીવની મુલાકાત લીધી
Live TV
-
લાંબી દરિયાઇ મુસાફરી કરીને દીવની મુલાકાતે આવેલા કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ દીવના માછીમારોની સમસ્યાઓને સમજવા અને તેનો અસરકારક ઉકેલ લાવવા વણકબારા જેટી ખાતે આવ્યાં હતાં. તેઓએ માછીમારો સાથે મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરી હતી.આ અવસરે માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, માછીમારીના વ્યવસાયમાં ઊભી થતી તમામ સમસ્યાઓનું અસરકારક રીતે નિરાકરણ લાવવામાં આવશે.
