લોકડાઉનમાં ગાંધીનગરમાં એક વ્યક્તિએ કરાવ્યા ગરીબ પરિવારની યુવતીના સાદાઈથી લગ્ન
Live TV
-
કોરોના મહામારી વચ્ચે કેવી રીતે લગ્ન-પ્રસંગો યોજવા તે પણ ચિંતાનો વિષય બની ગયો હતો. માટે સરકારે 50 લોકો સાથે લગ્ન સમારંભો યોજવાની છૂટ આપી છે. ત્યારે ગાંધીનગર પાસે આવેલા રાંદેસણ ગામના એક અગ્રણી અને વ્યવસાયે વકીલ એવા શંકરસિંહ ગોહિલ નામના વ્યક્તિએ ગરીબ પરિવારની એક યુવતીના સાદાઈથી લગ્ન કરાવીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગામના ખોડિયાર માતાજીના સાનિધ્યમાં વર-વધુ સહિત મર્યાદિત સંખ્યામાં આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આ પ્રસંગ પાર પાડ્યો હતો.
