વડતાલ સ્વામિનારાયણ મંદિરે ઉજવાયો શાકોત્સવ
Live TV
-
વડતાલના પીઠાધીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સહિત સાધુ-સંતોએ શાકોત્સવમાં ભાગ લીધો હતો
ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડતાલના પીઠાધીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સહિત સાધુ-સંતોએ શાકોત્સવમાં ભાગ લીધો હતો. શાકોત્સવના પર્વને લઈને ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શાકોત્સવમાં ભક્તોને રીંગણાનું શાક, બાજરાનો રોટલો અને રોટલી તેમજ ચુરમાના લાડુ સહિતની વાનગી પિરસવામાં આવી હતી. અંદાજે 25 હજારથી વધુ હરિભક્તોએ ભગવાનના પ્રસાદનો લહાવો લીધો હતો.